ઓરકુટ પર એક વાર ફરતાં ફરતાં એક અડધું વાક્ય વાચ્યું હતુ, તો ભારતવાસીઓની આદત મુજબ મેં પણ એને પોતાનું સમજી લઇને પૂરું કર્યુ.
વાક્ય હતુ,
પાસે નથી તું તોય જીવું છું તારા માટે…
તો એને બે રીતે લખ્યું ,
હથોડા મારવાની આદતના કારણે પ્રથમવાર તો એ સુંદર રચનાની વાટ લગાવી દીધી.
પાસે નથી તું તોય જીવું છું તારા માટે,
નશામાં છું તારા,પીવું છું હોશમા આવવા માટે…
બીજીવાર એ ક્રુત્યને થોડું સુધારવાની ટ્રાય કરી છે,
પાસે નથી તું તોય જીવું છું તારા માટે,
મીરાં બની મારા શ્યામ તડપું છું તારા માટે…
મારી એ ટ્રાય કેટલી સફળ રહી એ તો રામ જાણે.